પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ સુધી નથી મળ્યો સરકારી બંગલો
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ સુધી નથી મળ્યો સરકારી બંગલો
Published on: 02nd September, 2026

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પદ છોડ્યા બાદ પણ સરકારી આવાસ મળ્યો નથી. નિયમો મુજબ, નિવૃત્ત ઉપરાષ્ટ્રપતિઓને જીવનભર માટે સરકારી આવાસ ફાળવવામાં આવે છે, પરંતુ જગદીપ ધનખડને હજુ સુધી કોઈ બંગલો આપવામાં આવ્યો નથી. હાલમાં, તેઓ દિલ્હીના છતરપુર સ્થિત એક પ્રાઈવેટ ફાર્મહાઉસમાં રહેવા માટે મજબૂર છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને તેમની તરફથી કોઈ ઔપચારિક અરજી પણ મળી નથી, જેના કારણે તેમને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.