PMના કાર્યક્રમ માટે MSUના પેવેલિયન મેદાનનો ઉપયોગ
PMના કાર્યક્રમ માટે MSUના પેવેલિયન મેદાનનો ઉપયોગ
Published on: 05th September, 2026

વડોદરાની M S Universityમાં સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પેવેલિયન મેદાન પર યોજાનાર છે. આ નિર્ણય સામે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીએ વડાપ્રધાનને સંબોધીને ખુલ્લો પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ બંધ કરાઈ છે અને પરીક્ષાની તારીખો પણ બદલવી પડી છે. વડોદરામાં અન્ય મેદાનો ઉપલબ્ધ હોવા છતાં પેવેલિયન મેદાનની પસંદગી ભૂલભરેલી છે, અને રમતના મેદાનને રાજરમતનું મેદાન બનાવવામાં આવ્યું છે.