ભાજપ દ્વારા PM મોદીના 25 વર્ષ પૂર્ણ થવા પર 17 સપ્ટે.થી સેવા સંકલ્પ અભિયાન
ભાજપ દ્વારા PM મોદીના 25 વર્ષ પૂર્ણ થવા પર 17 સપ્ટે.થી સેવા સંકલ્પ અભિયાન
Published on: 07th September, 2026

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના PM અને ગુજરાતના CM તરીકે સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' યોજવામાં આવશે. આ અભિયાનની તૈયારી માટે યોજાયેલી કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યકરોને કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું. આ અભિયાન હેઠળ, નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દિપ પ્રજવલન, શાળાઓમાં ચિત્ર-વકૃત્વ સ્પર્ધા અને 'વિકસિત ભારત 2047'નો સંકલ્પ જેવા 13 જેટલા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.