ગોધરા કમલમ કાર્યાલયે ભાજપનો મીડિયા સંવાદ: મોદી સરકારની 12 વર્ષની સિદ્ધિઓની ચર્ચા
ગોધરા કમલમ કાર્યાલયે ભાજપનો મીડિયા સંવાદ: મોદી સરકારની 12 વર્ષની સિદ્ધિઓની ચર્ચા
Published on: 16th June, 2026

ગોધરા ખાતે ભાજપના કમલમ કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે "12 વર્ષ સેવા, વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણ" કાર્યક્રમ અંતર્ગત મીડિયા સંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, જિલ્લા પ્રભારી હર્ષદ વસાવા, અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમણે મોદી સરકારની વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી.