CJP આંદોલન પર સરકારની પ્રથમ પ્રતિક્રિયા, ધરણાં સમેટવા અપીલ; લેખિત અરજી સ્વીકારાઈ
CJP આંદોલન પર સરકારની પ્રથમ પ્રતિક્રિયા, ધરણાં સમેટવા અપીલ; લેખિત અરજી સ્વીકારાઈ
Published on: 20th July, 2026

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે પ્રથમ વખત સંવાદ થયો છે. કેન્દ્રીય મંત્રી JP Nadda એ CJP Delegation સાથે મુલાકાત કરી. આ બેઠકમાં પ્રદર્શનકારીઓએ સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને પક્ષો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મૌખિક ચર્ચા થઈ અને ત્યારબાદ લેખિત માંગણીઓનો એક અરજી સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યો. JP Nadda એ પ્રદર્શનકારીઓને ધરણાં સમેટવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.