જેલની દીવાલો પાછળથી લખાયેલાં કાળજયી પુસ્તકો
જેલની દીવાલો પાછળથી લખાયેલાં કાળજયી પુસ્તકો
Published on: 12th August, 2026

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક અનોખો અધ્યાય જેલના અંધારા ઓરડાઓમાં લખાયો હતો. વિશ્વ સ્તરે નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જેમ, ભારતમાં પણ જેલની કોટડીઓ મુક્ત વિચારોની સાધનાપીઠ બની હતી. આ દરમિયાન રચાયેલાં મહાન પુસ્તકો, જેમ કે 'ગીતા રહસ્ય' (લોકમાન્ય ટિળક), 'The Discovery of India' (પંડિત જવાહરલાલ નેહરુ), 'The Indian War of Independence 1857' (વીર વિનાયક દામોદર સાવરકર), ‘બંદી જીવન’ (સચિન્દ્રનાથ સાન્યાલ), ‘Why I am an Atheist’ (ભગતસિંહ), અને ‘સત્યના પ્રયોગો’ (મહાત્મા ગાંધી)એ કરોડો ભારતીયોના મનમાં આઝાદીનો જુવાળ પેદા કર્યો અને રાષ્ટ્રીય ચેતના પર ઊંડી અસર છોડી.