PM મોદી પર ટિપ્પણી કરનાર સગીરાની માતાનું દર્દ: 'અમને હેરાન કરવાનું બંધ કરો!'
PM મોદી પર ટિપ્પણી કરનાર સગીરાની માતાનું દર્દ: 'અમને હેરાન કરવાનું બંધ કરો!'
Published on: 03rd August, 2026

દિલ્હીના જંતર-મંતર ખાતે PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર 15 વર્ષની વિદ્યાર્થીની અને તેની માતાને ભાડાનું ઘર છોડીને બીજે સ્થળાંતર કરવું પડ્યું છે. બાળકીએ સોશિયલ મીડિયા પર માફી માંગી હોવા છતાં, પોલીસ અને અજાણ્યા લોકો દ્વારા હેરાનગતિ ચાલુ હોવાનું માતાએ જણાવ્યું. 2019માં પતિ ગુમાવનાર માતાએ કહ્યું કે, અન્યના ઉશ્કેરણીમાં આવીને પુત્રીએ ભૂલ કરી, જે બદલ તેણે માફી પણ માંગી લીધી છે. પાડોશીઓ અને યુપી પોલીસ હજુ પણ જૂના ઘરે આવી રહ્યા છે, જેના ભયથી તેમને રહેઠાણ બદલવું પડ્યું. માતાએ અપીલ કરી છે કે, 'મારી દીકરી નાની અને નાદાન છે, અમને શાંતિથી જીવવા દો.'