રાજકોટમાં વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
રાજકોટમાં વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Published on: 03rd August, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં રૂ. 268 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે જણાવ્યું કે, 'સૌની યોજના' વિના સૌરાષ્ટ્રવાસીઓએ હિજરત કરવી પડી હોત. વિકાસ કાર્યોમાં પૈસાની ચિંતા કરવાને બદલે ગુણવત્તા જાળવવા તેમણે મહાપાલિકાના શાસકોને ટકોર કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ નીતિનો સૌથી વધુ લાભ રાજકોટને મળ્યો છે. આજી-1 ડેમ સંબંધિત 87 ખેડૂતોને જમીનના ટાઈટલ હક આપવામાં આવ્યા. તેમણે યુવાનોને સંસ્કૃતિ અને સંસ્કાર જાળવવા અપીલ કરી.