અયોધ્યા રામ મંદિર દાનચોરી મુદ્દો સંસદમાં ગુંજશે
અયોધ્યા રામ મંદિર દાનચોરી મુદ્દો સંસદમાં ગુંજશે
Published on: 01st August, 2026

અયોધ્યાના શ્રીરામ મંદિર માં થયેલી દાનચોરીનો મામલો હવે વિરોધપક્ષો દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવનાર છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે આ ઘટનાને ધોળા દિવસે થયેલી લૂંટ ગણાવી હતી અને તેનો આરોપ ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકો પર લગાવ્યો હતો. સાંસદ પપ્પુ યાદવે ભગવા વસ્ત્રો પહેરીને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોએ પણ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનનો હેતુ અયોધ્યા રામ મંદિર માં થયેલી ચોરીને ઉજાગર કરવાનો હતો.