જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
Published on: 31st July, 2026

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો, જેમાં છત્તીસગઢના દીપક નામના મજૂરનું મોત થયું અને ભૂપેન્દ્ર કુમાર ઘાયલ થયા. લશ્કર-એ-તૈયબાએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ હુમલાની નિંદા કરી અને આતંકીઓનો ખાતમો કરવાનો આદેશ આપ્યો. ઘાયલ મજૂરની સારવાર ચાલી રહી છે. આ ઘટના થોડા દિવસો પહેલા કુલગામમાંથી હથિયારો મળ્યા બાદ બની છે.