રામ મંદિર ટ્રસ્ટ PMOને દાનનો હિસાબ આપવાનો ઇનકાર
રામ મંદિર ટ્રસ્ટ PMOને દાનનો હિસાબ આપવાનો ઇનકાર
Published on: 25th June, 2026

રામ મંદિરના દાન અને ભંડોળમાં પારદર્શિતાના અભાવ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી હિસાબ માંગવામાં આવ્યો હતો. સ્થાનિક ભાજપ નેતા રજનીશ સિંહે PMOને ફરિયાદ કરી હતી કે મંદિરના નાણાકીય વ્યવહારો, દાન અને સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવે. જોકે, ટ્રસ્ટે SIT તપાસ ચાલી રહી હોવાનું કહીને નાણાકીય માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.