'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
Published on: 05th May, 2026

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAPના ધારાસભ્યોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથેની મુલાકાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવાએ AAP અને BJP વચ્ચે મિલીભગતનો ગંભીર આક્ષેપ કરતા બંનેને એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. બાજવાએ રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોની વહેલી મુલાકાત પર સવાલ ઉઠાવતા સંકેત આપ્યો છે કે અરવિંદ કેજરીવાલને ટૂંક સમયમાં કોઈ મોટું 'સરપ્રાઈઝ' મળી શકે છે. ભાજપના નેતાઓના નિવેદનો અને આ ઘટનાક્રમે પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે.