મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: "જનતા PM મોદીની વિકાસ રાજનીતિ સાથે જોડાઈ રહી છે"
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જનતા પ્રધાનમંત્રી મોદીની સકારાત્મક વિકાસ રાજનીતિ સાથે જોડાઈ રહી છે. પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને ગુજરાતમાં પેટાચૂંટણીમાં ભાજપના વિજય પર તેમણે આ વાત કહી. આ વિજય વડાપ્રધાન મોદીના વિકાસવાદ પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: "જનતા PM મોદીની વિકાસ રાજનીતિ સાથે જોડાઈ રહી છે"
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં રૂપિયા 3,900 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વધુ બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે. વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત હવે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર-આધારિત 'મિની/માઈક્રો LED' ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે ડગ માંડશે. આ નવી સુવિધાઓથી રાજ્યમાં અંદાજે 2,230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય!
મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ.
જો મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા પછી પણ રાજીનામું આપવાનો ઈનકાર કરે, તો રાજ્યપાલ પાસે વિશેષ સત્તાઓ હોય છે. રાજ્યપાલ હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગી શકે છે અને જો તેઓ ના પાડે તો તેમને પદ પરથી બરતરફ કરી શકે છે. કલમ-164 હેઠળ રાજ્યપાલને નવો મુખ્યમંત્રી નિયુક્ત કરવાની અને શપથ અપાવવાની શક્તિ મળે છે. રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જો કોઈ ગંભીર બંધારણીય ઈમરજન્સી ઉભી થાય, તો રાજ્યપાલ કલમ-356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. જોકે, સ્પષ્ટ જનાદેશ હોવાથી આની જરૂર પડતી નથી.
મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ.
આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો.
ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે.
આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો.
'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનર્જીનું નિવેદન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ 100 મતવિસ્તારોમાં મત "લૂંટાયા" છે. મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ. બે ફેઝમાં ચૂંટણી થયા બાદ તેઓએ અમારા લોકોની અટકાયત કરવાનું શરૂ કરી દીધુ અને અધિકારીઓના ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.'
'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનર્જીનું નિવેદન.
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, 'વંદે માતરમ્'ના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ.
ગાંધીનગરમાં કમલમ ખાતે ગઈકાલે (4 મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટરજીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, 'વંદે માતરમ્'ના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ.
કોણ બનશે બંગાળના નવા CM? 4 દિગ્ગજોના નામ રેસમાં.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભવ્ય જીત બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે, આગામી 9 મે એટલે કે શનિવારના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી પદ માટે કયા નેતાના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. મુખ્યમંત્રી પદની રેસમાં નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ છે. આ સિવાય શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજના નામો પણ ચર્ચામાં છે.
કોણ બનશે બંગાળના નવા CM? 4 દિગ્ગજોના નામ રેસમાં.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAPના ધારાસભ્યોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથેની મુલાકાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવાએ AAP અને BJP વચ્ચે મિલીભગતનો ગંભીર આક્ષેપ કરતા બંનેને એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. બાજવાએ રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોની વહેલી મુલાકાત પર સવાલ ઉઠાવતા સંકેત આપ્યો છે કે અરવિંદ કેજરીવાલને ટૂંક સમયમાં કોઈ મોટું 'સરપ્રાઈઝ' મળી શકે છે. ભાજપના નેતાઓના નિવેદનો અને આ ઘટનાક્રમે પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
આજે પાંચમી મે, 2026ની વહેલી સવારથી રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
વડનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી, લાશો ઘરમાં દાટી દીધી. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસ તપાસમાં જમીન ખોદકામ કરતા બે માનવ કંકાલ મળ્યા. મૃતક યુવતીના દાદાએ ઘરકામ બાબતે ઝઘડા બાદ હત્યાની ફરિયાદ નોંધાવી.
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
સુરતના વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારી માટે વપરાયેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવટી હતું. જો આરોપો સાબિત થશે, તો તેમનું કોર્પોરેટર પદ જોખમમાં મુકાઈ શકે છે. પોલીસ તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
પંજાબના CM ભગવંત માન 94 AAP ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી રાજ્યસભા સાંસદોના AAP છોડી BJPમાં જોડાવાની ફરિયાદ કરશે અને રાઇટ ટુ રિકોલ કાયદાની માંગ કરશે. આ દરમિયાન, ચઢ્ઢા, પાઠક અને મિત્તલ પણ રાષ્ટ્રપતિને મળશે અને રાજકીય બદલો લેવા સુરક્ષા છીનવી, ટ્રાઇડેન્ટ ફેક્ટરી પર દરોડા અને FIR નોંધવાના મુદ્દા ઉઠાવશે. પંજાબ BJP પ્રમુખ જાખડે AAP ધારાસભ્યોની બસ BJP કાર્યાલય તરફ વળી ન જાય તેની કાળજી રાખવા કહ્યું.
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
રાજકોટ મનપા:2 ડઝન વિસ્તારો રેડ સ્પોટ જાહેર
પ્રેમસંબંધમાં જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યા, માતા પણ કચડાઈ.
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે આસામમાં સત્તાની હેટ્રિક લગાવી છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢમાં ગાબડું પાડીને પ્રથમવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે, સપાટી પર ભાજપની જીત દેખાઈ રહી હોવા છતાં, રાજકીય વિશ્લેષકો કોંગ્રેસને આ ચૂંટણીના સૌથી મોટા 'વ્યૂહાત્મક વિજેતા' (Strategic Gainer) તરીકે જોઈ રહ્યા છે.
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પાંચ રાજ્યોમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મળેલી બહુમતીની ઉજવણી. કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી, 'શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો. શહેર પ્રમુખ અને અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી.
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો: ભાજપનો દબદબો, નવી સરકારો રચાઈ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવ્યું, જ્યારે આસામમાં ત્રીજી વખત સરકાર બનાવી. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVK ચોંકાવનારા પરિણામો સાથે સૌથી મોટી પાર્ટી બની. કેરળમાં કોંગ્રેસની વાપસી સાથે દેશમાં લેફ્ટ સરકારનો અંત આવ્યો. પુડુચેરીમાં પણ NDA સત્તામાં આવ્યું.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો: ભાજપનો દબદબો, નવી સરકારો રચાઈ
પોરબંદરમાં નિષ્ઠુર માતાનું પાપ, બાળકને દાટી દીધું, ત્રણ સામે ગુનો.
પોરબંદરમાં પરીણિતાના અનૈતિક સંબંધ બાદ જન્મેલા બાળકને દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ માસથી રિસામણે બેઠેલી મહિલાએ પ્રેમી સાથે સંબંધ રાખ્યા બાદ બાળકીને જન્મ આપ્યો હતો. પોતાના પાપને છુપાવવા માટે તેણે બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હતું. પતિની ફરિયાદ પરથી પોલીસે માતા, તેની માતા અને પ્રેમી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં નિષ્ઠુર માતાનું પાપ, બાળકને દાટી દીધું, ત્રણ સામે ગુનો.
હિમંતા બિશ્વો શર્મા: કરોડોની સંપત્તિ, પણ કાર નથી!
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વો શર્મા પાસે ₹35 કરોડની સંયુક્ત સંપત્તિ છે, જેમાં તેમની પત્ની અનલિસ્ટેડ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર્સમાં રોકાણ ધરાવે છે. હિમંતા પાસે કાર, ઘર કે જમીન નથી, જ્યારે તેમની પત્નીના નામે કરોડોની મિલકતો, એક કાર અને મીડિયા કંપની નોંધાયેલી છે.
હિમંતા બિશ્વો શર્મા: કરોડોની સંપત્તિ, પણ કાર નથી!
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા...
ચૂંટણીના તાજેતરના પરિણામોમાં લોકશાહીનો અસલી પાવર જોવા મળ્યો છે, જ્યાં જનતાએ અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીની 832 વિધાનસભા બેઠકો પર થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીની સૌથી મોટી હકીકત એ છે કે બે રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવી શક્યા નથી. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા કદાવર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા...
ભાજપના ‘ડબલ એન્જિન’ની જીત: બંગાળમાં ‘કમળ’ ખીલ્યું
PM મોદીના ‘ડબલ એન્જિન’ના વાયદાએ ટીએમસીની ‘બંગાળી અસ્મિતા’ની કથાને હરાવી. ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ, પરીક્ષાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ડરનો મુકાબલો અને નવા મતદારોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હિન્દુ ધ્રુવીકરણ, રોજગાર, ઔદ્યોગિક સ્થગિતતા અને સ્થાનિક નેતાગીરી સામેની નારાજગી જેવા મુદ્દાઓ નિર્ણાયક બન્યા. દરેક ક્ષેત્ર માટે અલગ રણનીતિ, સ્થાનિક નેતાઓનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ રાજ્યની રાજકીય ભૂગોળ બદલવામાં સફળ રહ્યા.
ભાજપના ‘ડબલ એન્જિન’ની જીત: બંગાળમાં ‘કમળ’ ખીલ્યું
સુરતમાં 41 વર્ષીય યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર.
વેલંજાના 41 વર્ષીય સુપરવાઈઝર સાથે મુંબઈની યુવતી અને પરિવારે લગ્નનું નાટક રચી લાખોની ઠગાઈ કરી. લગ્ન મંડપમાં જ 2 લાખ પડાવ્યા બાદ, 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર. હવે યુવક પાસે દર મહિને 50 હજારની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે. ઉત્રાણ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં 41 વર્ષીય યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર.
અમરેલીમાં માતાની હત્યા, પુત્રનું અપહરણ, LCB દ્વારા બચાવ.
SG હાઈવે પર બ્રિજ જૂનથી ખુલશે, સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધી સરળ મુસાફરી.
SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી શહેરીજનોને રાહત આપશે.
SG હાઈવે પર બ્રિજ જૂનથી ખુલશે, સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધી સરળ મુસાફરી.
પંચમહાલ અકસ્માત: સુરતથી પરત ફરતા પરિવારનો કરુણ અંત.
અરવલ્લીમાં કમોસમી વરસાદ, પાકને નુકસાનની ભીતિ.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું એક પાર્સલ અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલવા છતાં ત્યાં પહોંચ્યું નહોતું. આ ઘટનામાં છેતરપિંડીનો આરોપ છે અને પોલીસે અકાશા એર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
'વતનપ્રેમ' યોજના ફ્લોપ: વિદેશી ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવ્યો
ગુજરાતના ગામડાઓના કાયાકલ્પ માટે વર્ષ 2021માં મોટી જાહેરાતો સાથે શરૂ કરવામાં આવેલી 'વતન પ્રેમ યોજના' હાલ તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું જણાય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કરોડોનું બજેટ તિજોરીમાં વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે દર્શાવે છે કે આ મહત્વાકાંક્ષી યોજના વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓને આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે. માતૃભૂમિના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સહભાગી બને તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ વિકાસ કામો માટે 60% રકમ દાતાએ અને 40% રકમ રાજ્ય સરકારે આપવાની જોગવાઈ હતી.