ચાંદીવાલ આયોગના અહેવાલને જાહેર કરવા અનિલ દેશમુખની રાજ્યપાલને રજૂઆત
ચાંદીવાલ આયોગના અહેવાલને જાહેર કરવા અનિલ દેશમુખની રાજ્યપાલને રજૂઆત
Published on: 18th June, 2026

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજ્યપાલ પાસે જઈને ન્યાયમૂર્તિ કે. યુ. ચાંદીવાલ આયોગનો રિપોર્ટ દબાવી રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આયોગ દ્વારા રૂ. 100 કરોડની ખંડણીના આરોપની તપાસ બાદ 1400 પાનાનો રિપોર્ટ 2022માં સરકારને સોંપવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી તે જાહેર કરાયો નથી. દેશમુખે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે રિપોર્ટ જાહેર ન કરવો એ નૈસર્ગિક ન્યાયની હત્યા સમાન છે. આ તપાસ તેમના કેસ સાથે સીધી રીતે સંબંધિત હોવાથી, સત્ય જાણવાનો તેમને અને રાજ્યને અધિકાર છે.