ધનપુર ગામમાં પૂરથી તણાયેલ બાળકીના પરિવારને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય
ધનપુર ગામમાં પૂરથી તણાયેલ બાળકીના પરિવારને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય
Published on: 07th August, 2026

બોડેલીના ધનપુર ખોસ ગામે તાજેતરમાં પૂર દરમિયાન તણાઈ જતાં જીવ ગુમાવનાર બાળકીના પરિવારને રાજ્ય સરકાર તરફથી 4 લાખની આર્થિક સહાય અર્પણ કરાઈ. ધારાસભ્ય અભેસિંહ તડવીએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી અને સરકારની સહાયરૂપે 4 લાખનો ચેક અર્પણ કર્યો. તેમણે પરિવારને હિંમત રાખવા અને સરકાર સાથે હોવાની ખાતરી આપી. તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.