વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ઘરે ગણપતિ વિસર્જન
વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ઘરે ગણપતિ વિસર્જન
Published on: 17th September, 2026

વલસાડના ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને બિરાજમાન ગણપતિ બાપાનું અઢી દિવસ બાદ વિસર્જન કરવામાં આવ્યું. પરિવારજનોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપાને વિદાય આપી. ગણપતિ બાપાની ઉપસ્થિતિથી પરિવારમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો. અઢી દિવસ સુધી બાપાની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલના પરિવાર તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. વિસર્જન સમયે 'ગણપતિ બાપા મોરિયા, આવતા વરસે લવકરિયા'ના નાદ સાથે બાપાને ભાવપૂર્વક વિદાય અપાઈ.