જશાપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા
જશાપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા
Published on: 17th September, 2026

જામનગરના લાલપુર તાલુકાના જશાપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેડ કરી હતી. સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા 6 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹10,500 રોકડા અને ગંજીપાનાના 52 પત્તા જપ્ત કરાયા. પોલીસે જયેશ નગાભાઈ બરાઈ, દીનેશ નથુભાઈ બરાઈ, કેશુર વીદુભાઈ જોગલ, પરાગ ધનજીભાઈ પરમાર, કેતન નરશીભાઈ નકુમ અને પાલાભાઈ રાજશીભાઈ નંદાણીયા સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.