વલસાડમાં AF અને RK ગરબા ક્લાસના ગણપતિનું ભક્તિભાવપૂર્ણ વિસર્જન
વલસાડમાં AF અને RK ગરબા ક્લાસના ગણપતિનું ભક્તિભાવપૂર્ણ વિસર્જન
Published on: 17th September, 2026

વલસાડમાં AF અને RK ગરબા ક્લાસ દ્વારા આયોજિત ગણપતિજીનું અઢી દિવસની ભક્તિભાવપૂર્ણ પૂજા બાદ ભવ્ય શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો, જેમાં સભ્યો, પરિવારજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઢોલ-નગારાના તાલે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભક્તો ગરબા રમીને અને જયઘોષ કરીને બાપ્પાને ભાવભીની વિદાય આપી રહ્યા હતા. વિસર્જન સમયે ભક્તોમાં ઉત્સાહ સાથે ભાવુકતા પણ જોવા મળી. આવતા વર્ષે ફરીથી બાપ્પા પધારે તેવી પ્રાર્થના સાથે ગણેશ મહોત્સવનું સમાપન થયું.