RSS અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લેવાની અમેરિકાના ૯૦ નેતાઓનું એલાન
RSS અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લેવાની અમેરિકાના ૯૦ નેતાઓનું એલાન
Published on: 04th September, 2026

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ બાદ રાજકારણમાં ચર્ચા છે. હવે અમેરિકાના ૯૦ નેતાઓએ આરએસએસ અને તેના સહયોગીઓ પાસેથી દાન ન સ્વીકારવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં ભારતીય મૂળના રો ખન્ના અને પ્રમિલા જયપાલનો સમાવેશ થાય છે. હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન અને સાઉથ એશિયન અમેરિકન કોઅલિશન ટુ રિન્યુ ડેમોક્રસી એક્ટ્સ જેવા જૂથોએ આ સંકલ્પ જાહેર કર્યો છે. આ અભિયાન મોહન ભાગવતના અમેરિકા પ્રવાસના જવાબમાં શરૂ કરાયું હતું.