મહી નદી પર ગંભીરા બ્રિજ તૈયાર, રાજકીય નેતાના સમયના અભાવે ઉદ્ધાટન મુલતવી
મહી નદી પર ગંભીરા બ્રિજ તૈયાર, રાજકીય નેતાના સમયના અભાવે ઉદ્ધાટન મુલતવી
Published on: 04th September, 2026

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો નવો ગંભીરા બ્રિજ નિર્ધારિત સમયમાં તૈયાર થઇ ગયો છે. જોકે, કોઈ રાજકીય નેતાના હસ્તે તેનું ઉદ્ધાટન કરાવવાની તંત્રની યોજના છે. રાજનેતાઓ દ્વારા સમય ન મળવાને કારણે, આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો નથી. ગયા વર્ષે જૂનો બ્રિજ તૂટી પડ્યા બાદ તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. નવા બ્રિજની બંને બાજુ એપ્રોચ રોડ પણ તૈયાર છે અને લોડ ટેસ્ટ પણ પૂર્ણ થઈ ગયો છે. હવે માત્ર ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે.