શ્રાવણનો અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
શ્રાવણનો અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
Published on: 08th September, 2026

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું અવિરત ઘોડાપુર ઉમટ્યું હતું, જેમાં સંધ્યા આરતી સુધીમાં અંદાજે ૧.૩૦ લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. યાત્રિકોની સુવિધા માટે વહેલી સવારે ત્રણ વાગ્યે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા અને મોબાઈલ-સામાન જમા કરાવી પ્રવેશ અપાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન પ્રાતઃપૂજન, આરતી, પાલખીયાત્રા અને મહામૃત્યુંજય યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વિવિધ સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક ફરાળ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી ભક્તોએ ધન્યતા અનુભવી.