જામનગરની સંસ્કૃતિ અને હાલારી પાઘડીથી પ્રેરિત ગણેશ મૂર્તિઓ
જામનગરની સંસ્કૃતિ અને હાલારી પાઘડીથી પ્રેરિત ગણેશ મૂર્તિઓ
Published on: 07th September, 2026

ગણેશોત્સવ નજીક આવતાં જામનગરમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ અને બુકિંગ શરૂ થઈ ગયું છે. લાલજીભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર છેલ્લા ૧૫ વર્ષથી માટીની વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ બનાવી રહ્યો છે. આ વર્ષે 5500થી વધુ મૂર્તિઓ તૈયાર કરાઈ છે, જેમાં હાલારી પાઘડીવાળા ગણેશજી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પ્રયાગરાજથી શાડુ માટી મંગાવી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે, જે વિસર્જન બાદ પાણીમાં ભળી જાય છે.