અંકલેશ્વર રામકુંડ ખાતે શિવમહાપુરાણ કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રાનું આયોજન
અંકલેશ્વર રામકુંડ ખાતે શિવમહાપુરાણ કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રાનું આયોજન
Published on: 14th August, 2026

અંકલેશ્વરના રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલ શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ અંતર્ગત ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જેમાં હર હર મહાદેવના જયઘોષ અને ભજન-કીર્તન સાથે શિવ મહાપુરાણની પોથીને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવાઈ. ફૂલોથી સુશોભિત પોથી, ભગવાન શિવની પ્રતિમા અને ધાર્મિક શણગારથી વાતાવરણ શિવમય બન્યું. 13 થી 21 ઓગસ્ટ સુધી ચાલનારી આ કથામાં પ્રીયાંશુ મહારાજ કથા રસપાન કરાવી રહ્યા છે.