અંકલેશ્વરના શીયાલી ગામે બરફના શિવલિંગના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા
અંકલેશ્વરના શીયાલી ગામે બરફના શિવલિંગના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા
Published on: 14th August, 2026

અંકલેશ્વરના શીયાલી ગામમાં જ્ઞાનયોગ દર્શન આશ્રામ ખાતે અમરનાથ ગુફાની પ્રતિકૃતિમાં બરફના શિવલિંગના દર્શન શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જે ભક્તો અમરનાથ ગુફાના દર્શન કરવા જઈ શકતા નથી, તેઓ શીયાલી ગામે "બરફ્નીબાબા" ના દર્શનનો લાભ લઈ શકે છે. આશ્રમ પરિસરમાં રામેશ્વર મહાદેવ, જ્ઞાનેશ્વર હનુમાનજી, રામજી અને સરસ્વતી માતાજીના મંદિરો પણ આવેલા છે. બરફ્ના શિવલિંગના દર્શન 13 ઓગસ્ટ 2026 થી 11 સપ્ટેમ્બર 2026 સુધી ખુલ્લા રહેશે.