અંકલેશ્વરમાં શ્રી રાધાવલ્લભજીના ભવ્ય લગ્નોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી સંપન્ન
અંકલેશ્વરમાં શ્રી રાધાવલ્લભજીના ભવ્ય લગ્નોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી સંપન્ન
Published on: 16th June, 2026

અંકલેશ્વર શહેરના પંચાટી બજાર સ્થિત શ્રી રાધાવલ્લભજીની હવેલી ખાતે અધિક જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષ ત્રયોદશીના પાવન અવસરે હિત રાધાવલ્લભો જયંતિ તથા શ્રી હિત હરિવંશ જયંતિ નિમિત્તે શ્રી રાધાવલ્લભજીના લગ્નોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરને ફૂલો અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિગીતોના મધુર સ્વરો વચ્ચે લગ્ન વિધિઓ સંપન્ન થઈ. ભક્તોએ દિવ્યદર્શન કરી આધ્યાત્મિક આનંદ માણ્યો.