બગદાણા આશ્રમ અને ટ્રસ્ટ દ્વારા જાહેર અપીલ!
બગદાણા આશ્રમ અને ટ્રસ્ટ દ્વારા જાહેર અપીલ!
Published on: 06th August, 2026

ભાવનગરનું સુપ્રસિદ્ધ બગદાણાધામ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તાજેતરમાં, બજરંગદાસ બાપાના AI દ્વારા બનાવેલા ફેક ફોટા અને વીડિયો વાયરલ થતાં ભક્તોની લાગણી દુભાઈ છે. આશ્રમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ AI દ્વારા બનાવેલા બનાવટી ફોટા અને ખોટી વાતોથી સાવધાન રહે. મૂળ સ્વરૂપને બદલે કાલ્પનિક ફોટા અને કહાનીઓ જોડીને Views અને Likes મેળવવાની પ્રવૃત્તિ સામે આશ્રમે ચિંતા વ્યક્ત કરી છે. ભાવિકોને આવા AI જનરેટેડ ફોટા-રીલ્સ શેર ન કરવાની વિનંતી કરાઈ છે.