ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ હેતુ બિલ્વ પૂજા યોજાઈ
ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ હેતુ બિલ્વ પૂજા યોજાઈ
Published on: 08th September, 2026

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે, દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણ કરી વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયાબજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં શાસ્ત્રી હિતેશભાઈ વ્યાસ મહારાજે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી હતી. શ્રદ્ધાળુઓએ વિશ્વના કલ્યાણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વિવિધ સંગઠનોના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.