જામનગરમાં મહોર્રમ પૂર્વે કલાત્મક તાજીયા નિર્માણ કાર્ય પૂરજોશમાં
જામનગરમાં મહોર્રમ પૂર્વે કલાત્મક તાજીયા નિર્માણ કાર્ય પૂરજોશમાં
Published on: 18th June, 2026

મહોર્રમ ઇસ્લામ નવા વર્ષનો આરંભ સૂચવે છે, જે ૧૪૪૮માં વર્ષથી શરૂ થયું છે. મુસ્લિમ સમુદાય 'હઝરત ઇમામહુસૈન સાહેબ'ની શહાદતની યાદમાં કલાત્મક તાજીયા બનાવી માતમ મનાવે છે. જામનગરમાં, ખાસ કરીને ચાંદીનો તાજીયો અને અમી ધૂળધોયાનો તાજીયો વિશ્વભરમાં પ્રખ્યાત છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં તાજીયા નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. દરેક તાજીયા પર અંદાજે દોઢથી બે લાખનો ખર્ચ થાય છે અને યુવાનો છેલ્લા દોઢ માસથી દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જામનગરમાં ૪૨ પરવાનાવાળા તાજીયા અને હજારો અન્ય તાજીયા મુસ્લિમ યુવાનો દ્વારા બનાવવામાં આવે છે.