દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
Published on: 23rd June, 2026

દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા પવિત્ર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓની નિઃસ્વાર્થ સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે, સંસ્થા દ્વારા એકત્ર કરાયેલી ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ભરેલી ટ્રકને જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે ભંડારા માટે રવાના કરવામાં આવી. છેલ્લા અઢી દાયકાથી આ પરિવાર દર વર્ષે અમરનાથ યાત્રીઓ માટે વિશાળ ભંડારાનું આયોજન કરે છે. આ સેવા પ્રવૃત્તિમાં દાહોદના શિવભક્તોના સહકારથી હજારો યાત્રીઓની સેવા કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.