ડાંગમાં ભડકાઉ ભાષણ મામલે સાધ્વી યશોદાદીદી સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ
ડાંગમાં ભડકાઉ ભાષણ મામલે સાધ્વી યશોદાદીદી સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ
Published on: 09th September, 2026

ડાંગ જિલ્લામાં મૂર્તિઓ ખંડિત થવાની ઘટના બાદ 'ભારત આદિવાસી સંવિધાન સેના' દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. જેમાં આરોપ છે કે તા. 31-08-2026ના રોજ સાધ્વી યશોદાદીદીએ ધર્મના નામે ઉશ્કેરણીજનક ભાષણ આપી ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજને નિશાન બનાવ્યા હતા. આનાથી ભયનો માહોલ સર્જાયો છે. કથિત ભાષણમાં જો આરોપીને પકડવામાં નહીં આવે તો ચર્ચ/મસ્જિદ રહેવા નહીં દેવાની ધમકી અપાઈ હતી. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ 'હેટ સ્પીચ' બદલ ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.