ભાવનગર જિલ્લાના કોળીયાક નિષ્કલંક મહાદેવ દરિયા કિનારે અમાસે વાહનોની લાંબી કતારો
ભાવનગર જિલ્લાના કોળીયાક નિષ્કલંક મહાદેવ દરિયા કિનારે અમાસે વાહનોની લાંબી કતારો
Published on: 16th June, 2026

ભાવનગર જિલ્લાના કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે અમાસ નિમિત્તે ગુજરાત અને રાજ્ય બહારથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુંદી ગામથી દરિયા કિનારા સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામ થયો હતો. લક્ઝરી બસો, ખાનગી કારો અને ટેમ્પો ટ્રાવેલર સહિતના વાહનોના કારણે દર્શનાર્થીઓને કલાકો સુધી અટવાવું પડ્યું હતું. ટ્રાફિક નિયંત્રણના અભાવે મોટી હાલાકી સર્જાઈ હતી અને તબીબી ઈમરજન્સીમાં રાહત કાર્યમાં પણ અવરોધ આવી શકે છે. યોગ્ય પાર્કિંગ, ભીડ વ્યવસ્થાપન અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ ઉઠી છે.