અમદાવાદમાં શ્રાવણ માસની શરૂઆત, કેદારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો મેળાવડો
અમદાવાદમાં શ્રાવણ માસની શરૂઆત, કેદારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો મેળાવડો
Published on: 13th August, 2026

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ અમદાવાદના ન્યૂ રાણીપ સ્થિત શ્રીકેદારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના દર્શન અને પૂજા-અર્ચના માટે લાંબી કતારો લગાવી હતી. 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર ચઢાવી ધન્યતા અનુભવી. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોવાથી, મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.