દ્વારકામાં ભવ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવ
દ્વારકામાં ભવ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવ
Published on: 06th September, 2026

દ્વારકામાં પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ. મધ્યરાત્રિએ ૧૨ના ટકોરે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી જયઘોષ વચ્ચે મુખ્ય આરતી યોજાઈ. જગતમંદિર પરિસરને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને દ્વારકાધીશજીને વિશેષ વાઘા અને આભૂષણોથી શણગારાયા હતા. દેશ-વિદેશના લાખો ભાવિકોએ ડિજિટલ માધ્યમથી પણ લાઈવ દર્શન કર્યા. સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રિકો માટે નિઃશુલ્ક ચા-નાસ્તો અને ફળાહારની વ્યવસ્થા કરાઈ હતી. પારણા નવમીએ બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવાયા બાદ છપ્પનભોગ અન્નકૂટ યોજાયો. આહિર સમાજ દ્વારા આયોજિત પરંપરાગત રથયાત્રામાં ભાતીગળ વસ્ત્રોમાં જોડાયેલા લોકો અને રાસમંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા.