જૂનાગઢના માળીયા(હા)ના કુકસવાડામાં બિલનાથ મહાદેવ મંદિરે સવા લાખ બીલીપત્રોનો મહાઅભિષેક સંપન્ન
જૂનાગઢના માળીયા(હા)ના કુકસવાડામાં બિલનાથ મહાદેવ મંદિરે સવા લાખ બીલીપત્રોનો મહાઅભિષેક સંપન્ન
Published on: 13th September, 2026

માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે સ્થિત બિલનાથ મહાદેવ મંદિરે અમાસના પવિત્ર દિવસે એક અદભૂત ધાર્મિક કાર્યક્રમ યોજાયો. વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સવા લાખથી વધુ બીલીપત્રો અર્પણ કરીને ભગવાન બિલનાથ મહાદેવનો દિવ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો. આ ભવ્ય પૂજામાં ગ્રામજનો અને મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. દર્શન અને પૂજા-અર્ચના માટે ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. સમગ્ર આયોજન 'બિલનાથ ગ્રુપ' દ્વારા કરવામાં આવ્યું હતું.