જૂનાગઢના મેંદરડામાં લેઉવા પટેલ સમાજમાં શિવ મહાપુરાણ કથા સંપન્ન
જૂનાગઢના મેંદરડામાં લેઉવા પટેલ સમાજમાં શિવ મહાપુરાણ કથા સંપન્ન
Published on: 13th September, 2026

મેંદરડા લેઉવા પટેલ સમાજ અને ભોળા મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ માસ પારાયણ કથા સફળતાપૂર્વક સંપન્ન થઈ. શાસ્ત્રી ભાવિનભાઈ ભટ્ટે સમગ્ર માસ દરમિયાન શિવગંગાનું રસપાન કરાવ્યું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ લાભ લીધો. કથા દરમિયાન ધર્મ અને રાષ્ટ્રપ્રેમનો સમન્વય જોવા મળ્યો. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવ અને 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન થયું. શ્રોતાઓ માટે ચા-નાસ્તો, દૂધ, પ્રસાદ વગેરેની વ્યવસ્થા હતી.