ભારતથી ફરી થશે કૈલાશ પર્વતના દર્શન: ઓલ્ડ લિપુલેખ વ્યુ પોઈન્ટ ખુલશે
ભારતથી ફરી થશે કૈલાશ પર્વતના દર્શન: ઓલ્ડ લિપુલેખ વ્યુ પોઈન્ટ ખુલશે
Published on: 23rd June, 2026

સુરક્ષા કારણોસર પ્રતિબંધિત કરાયેલો ઓલ્ડ લિપુલેખ વ્યુ પોઈન્ટ ફરીથી શિવભક્તો માટે ખુલવા જઈ રહ્યો છે. ભારતીય સેના અને ITBP સાથે ચર્ચા કરીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરાઈ રહી છે. આનાથી શ્રદ્ધાળુઓ ભારતની સરહદ પરથી જ તિબેટમાં સ્થિત પવિત્ર કૈલાશ પર્વતના દર્શન કરી શકશે, જેના માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે નહીં. 17,500 ફૂટની ઊંચાઈ પર આવેલા આ સ્થળેથી સ્પષ્ટ દર્શન થાય છે. આ નિર્ણયથી પર્યટનને પણ વેગ મળશે.