દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમી મધ્યરાત્રિએ જન્મ ઉત્સવ
દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમી મધ્યરાત્રિએ જન્મ ઉત્સવ
Published on: 01st September, 2026

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરે ભગવાન દ્વારકાધીશજીના જન્માષ્ટમી પર્વની ઉજવણી મધ્યરાત્રિએ થશે. 4 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ જન્મની આરતી બાદ મોડી રાત્રિના 2:30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. આ પર્વ નિમિત્તે લાખો ભાવિકો ઉમટી પડશે. જન્માષ્ટમીના દિવસે આરતી, ભોગ અને ધાર્મિક વિધિઓ અનુસાર દર્શનના સમયપત્રકમાં ફેરફાર રહેશે. દિવસ દરમિયાન અનેક વખત ભોગ સમયે દર્શન બંધ રહેશે, જ્યારે બપોરે અને રાત્રે લાંબા સમય માટે અનોસર રહેશે. મંદિર પ્રશાસને ભક્તોને આ વિશેષ સમયપત્રકને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની અપીલ કરી છે.