પોરબંદર સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં હિંડોળા સમાપન ઉત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન
પોરબંદર સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં હિંડોળા સમાપન ઉત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન
Published on: 31st August, 2026

પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં હિંડોળા સમાપન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિનો સૌથી લાંબો ચાલતો પાવન ઉત્સવ 'હિંડોળા મહોત્સવ' અષાઢ વદ બીજથી શરૂ થયો હતો. હરિભક્તોએ બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામપ્રભુને ઝુલાવી ધન્યતા અનુભવી. છેલ્લા 31 દિવસથી મંદિરને કલાત્મક રીતે શણગારવા માટે યુવા ટીમે નિઃસ્વાર્થ ભાવે સેવા આપી. 60થી વધુ હરિભક્તો યજમાન બન્યા હતા, જેના સહયોગથી મહોત્સવ સંપન્ન થયો.