૧૨ જ્યોતિર્લિંગ: આધ્યાત્મિક એકતા અને જ્ઞાન-વિજ્ઞાનનું પ્રતીક
૧૨ જ્યોતિર્લિંગ: આધ્યાત્મિક એકતા અને જ્ઞાન-વિજ્ઞાનનું પ્રતીક
Published on: 31st August, 2026

આસ્થાના મહાકુંભ, ૧૨ જ્યોતિર્લિંગ ભારતીય સનાતન પરંપરામાં ભગવાન શિવના દિવ્ય કેન્દ્રો છે. સોમનાથથી કેદારનાથ સુધી ફેલાયેલા આ પવિત્ર ધામો, શિવતત્ત્વની ઉપાસના અને ભારતીય આધ્યાત્મિક ભૂગોળને એકતામાં બાંધે છે. જ્યોતિર્લિંગોની કથાઓ ભક્તિ, સંયમ, ક્ષમા, તપસ્યા, નિર્ભયતા અને આત્મજ્ઞાનનો માર્ગ દર્શાવે છે. શ્રાવણની શીતળ સવારમાં ‘ૐ નમ: શિવાય’નો નાદ અહંકાર છોડી શ્રદ્ધા જગાવવાનો અને અંતરમાં રહેલા શિવને ઓળખવાનો સંદેશ આપે છે.