હિંમતનગરના 300 વર્ષ જૂના રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર જન્માષ્ટમી મહોત્સવ
હિંમતનગરના 300 વર્ષ જૂના રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર જન્માષ્ટમી મહોત્સવ
Published on: 01st September, 2026

હિંમતનગરના ખાડિયામાં આવેલા લગભગ 300 વર્ષ જૂના રાધાકૃષ્ણ મંદિરમાં મહામંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. મહોત્સવમાં કૃષ્ણલીલા પ્રદર્શન, નંદભવન, ભગવાનના કટઆઉટ, મટકીઓ, અને સંતો-મહંતોના કટઆઉટ આકર્ષણનું કેન્દ્ર બનશે. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મ થશે, ત્યારબાદ તરત જ મટકીફોડનો કાર્યક્રમ યોજાશે. ભક્તોમાં આ પ્રથમ આયોજનને લઈને ભારે ઉત્સાહ છે.