મૌલવી જરજિસ અંસારીના 'શ્રીકૃષ્ણ 5 ટાઈમના નમાઝી' નિવેદન પર હિન્દુ સંગઠનોનો રોષ
મૌલવી જરજિસ અંસારીના 'શ્રીકૃષ્ણ 5 ટાઈમના નમાઝી' નિવેદન પર હિન્દુ સંગઠનોનો રોષ
Published on: 16th July, 2026

ઉત્તર પ્રદેશના મૌલાના જરજિસ અંસારીએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરેલા વિવાદાસ્પદ દાવાને પગલે ભારે હોબાળો મચ્યો છે. તેમણે દાવો કર્યો કે શ્રીકૃષ્ણ મુસ્લિમ હતા અને પાંચ ટાઈમની નમાઝ પઢતા હતા, અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકનો ખોટો અર્થઘટન કરીને પોતાની વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો. મૌલાનાએ એમ પણ કહ્યું કે રામ અને કૃષ્ણએ ઇસ્લામનો પ્રચાર કર્યો હતો. તેમના આ નિવેદનથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે મૌલાનાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.