છોટી કાશીથી પ્રચલિત જામનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની પ્રતિકાત્મક રથયાત્રા
છોટી કાશીથી પ્રચલિત જામનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની પ્રતિકાત્મક રથયાત્રા
Published on: 16th July, 2026

જામનગરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની પ્રતિકાત્મક રથયાત્રા સાથે 12 દિવસીય ધાર્મિક ઉત્સવનો પ્રારંભ થયો છે. સિદ્ધનાથ સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા બાદ શોભાયાત્રા યોજાઈ. આ ઉત્સવમાં બાહુડા યાત્રા અને નીલાદ્રી બીજે ભગવાનનો મંદિરમાં પુનઃપ્રવેશ જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, ઈસ્કોન સંસ્થા દ્વારા પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.