૧૨૦૦ થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા હેઠળ પર્વાધિરાજ પર્યુષણનો ભવ્ય પ્રારંભ.
૧૨૦૦ થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા હેઠળ પર્વાધિરાજ પર્યુષણનો ભવ્ય પ્રારંભ.
Published on: 08th September, 2026

અમદાવાદમાં જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થયો છે, જેમાં ૧૨૦૦ થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા મળી રહી છે. આઠ દિવસના આ પર્વમાં પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિ પર ભાર મૂકવામાં આવે છે. જૈનો આ દરમિયાન તપ, જપ, પૌષધ અને અહિંસાનું ચુસ્તપણે પાલન કરે છે. પ્રથમ ત્રણ દિવસ 'અષ્ટાન્હિકા' ગ્રંથ પર પ્રવચનો થાય છે, જ્યારે ચોથા દિવસથી કલ્પસૂત્રનું વાંચન શરૂ થાય છે. પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચનનો મહોત્સવ ઉજવાય છે. આઠમા દિવસે ક્ષમા ધર્મની સિદ્ધિરૂપે 'મિચ્છામિ દુક્કડં' કહી ક્ષમાયાચના કરવામાં આવે છે.