દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસે ભવ્ય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન
દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસે ભવ્ય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન
Published on: 11th September, 2026

દેડિયાપાડા સ્થિત મહાબળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ વદ અમાસ નિમિત્તે પરમ પૂજ્ય સુરેશભાઈ દવે મહારાજના સાનિધ્યમાં મહા લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન થયું. આ ધાર્મિક પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરાઈ. અગિયાર જોડાંઓએ યજ્ઞમાં ભાગ લીધો. ભજન-કીર્તન અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો.