દ્વારકાધીશમાં 4 થી 16 વર્ષના બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મટકી અર્પણ કરી
દ્વારકાધીશમાં 4 થી 16 વર્ષના બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મટકી અર્પણ કરી
Published on: 08th September, 2026

યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત, શ્રી દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક અનોખા આયોજનમાં 4 થી 16 વર્ષના બાળકોએ ભાગ લીધો. બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર અને પુરુષસૂક્તના પઠન સાથે સુશોભિત મટકીઓ ભગવાન શ્રી દ્વારકાધીશજીના ચરણોમાં અર્પણ કરી. આ ધાર્મિક પરંપરા દ્વારા બાળકોમાં સંસ્કાર અને જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી સંસ્કૃત વર્ગના ભૂલકાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.