અમદાવાદ: 149મી રથયાત્રા માટે ભગવાનના રથના 6 નવા પૈડાં તૈયાર
અમદાવાદ: 149મી રથયાત્રા માટે ભગવાનના રથના 6 નવા પૈડાં તૈયાર
Published on: 03rd July, 2026

અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ માટે બાવળના મજબૂત લાકડામાંથી કારીગરોએ 15 દિવસની મહેનત બાદ 6 નવા પૈડાં તૈયાર કર્યા છે. આ પૈડાં દર બે-ત્રણ વર્ષે બદલવામાં આવે છે. આગામી 3-4 દિવસમાં રથમાં આ પૈડાં લગાવીને મંદિર પરિસરમાં ટ્રાયલ લેવામાં આવશે, જેથી રથયાત્રા સરળતાથી યોજાઈ શકે. આ ઐતિહાસિક રથયાત્રા દર વર્ષે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની રહે છે.