રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતી કાલથી ગણેશ મહોત્સવનો ધામધૂમથી આરંભ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતી કાલથી ગણેશ મહોત્સવનો ધામધૂમથી આરંભ
Published on: 13th September, 2026

સોમવારથી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં દૂંદાળા દેવના મહોત્સવનો ધામધૂમથી આરંભ થશે. નાના-મોટા પંડાલો અને ઘરે આંગણે ગણપતિની મૂર્તિ સ્થાપન બાદ ગજાનન દેવના સ્તુતિ ગાનથી રોડરસ્તા ગૂંજશે. ઠેરઠેર પૂજા-આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાજકોટ શહેરમાં આશરે 500 મોટા પંડાલ અને 10 હજાર ઘરોમાં ગણપતિની સ્થાપના થશે. આ વર્ષે વિવિધ મંડળો દ્વારા અવનવી થીમ સાથે આયોજનો કરાયા છે. દસ દિવસીય ઉત્સવ દરમિયાન પ્રસાદ વિતરણ, મહાઆરતી, કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.