શ્રાવણ માસમાં ધર્મસ્થળો પર દુર્ઘટનાઓ: બિહાર, ઉજ્જૈન અને બંગાળમાં જાનહાનિ
શ્રાવણ માસમાં ધર્મસ્થળો પર દુર્ઘટનાઓ: બિહાર, ઉજ્જૈન અને બંગાળમાં જાનહાનિ
Published on: 18th August, 2026

શ્રાવણ મહિનામાં ધર્મ પરાયણતા વચ્ચે કેટલીક દુર્ઘટનાઓએ ભક્તોનો જીવ લીધો છે. બિહારના લખીમરાય સ્થિત અશોકધામ મંદિરમાં નાસભાગને કારણે સાત મહિલાઓનાં મોત થયા હતા. ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાગપંચમીના દર્શન વખતે થયેલી ધક્કામુક્કીમાં ૧૩ ભક્તો બેભાન થયા હતા. પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં તારાપીઠ મંદિર નજીક હોટલમાં આગ લાગતાં સાત યાત્રાળુઓ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાઓએ ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.