વડોદરાના સંખેડા સહિત તાલુકામાં દશામાનું 10 દિવસીય ભવ્ય આતિથ્ય
વડોદરાના સંખેડા સહિત તાલુકામાં દશામાનું 10 દિવસીય ભવ્ય આતિથ્ય
Published on: 12th August, 2026

સંખેડા-ગોલાગામડીમાં આજથી દશામા વ્રતનો શ્રદ્ધાભેર પ્રારંભ થયો છે. આ નિમિત્તે સંખેડા બજારમાં અવનવી દશામાની મૂર્તિઓ અને પૂજાપાની ખરીદી માટે ભારી ભીડ જામેલી જોવા મળી હતી. મનોકામના પૂર્તિ માટે દશામા વ્રતનું વિશેષ મહત્વ છે. અષાઢ વદ અમાસથી બહેનો સતત દસ દિવસ સુધી દશામા મૂર્તિની સ્થાપના કરી પૂજન-અર્ચન, આરતી અને જાગરણ કરશે, જે બાદ બીજા દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.