વડોદરાના વાઘોડિયા દ્વારકાધીશ મંદિરમાં શ્રાવણ માસમાં હિંડોળાના મનોહર દર્શન
વડોદરાના વાઘોડિયા દ્વારકાધીશ મંદિરમાં શ્રાવણ માસમાં હિંડોળાના મનોહર દર્શન
Published on: 22nd August, 2026

વાઘોડિયા નગરમાં આવેલ દ્વારકાધીશ મંદિરની હવેલીમાં શ્રાવણ માસ દરમિયાન હિંડોળાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો વહેલી પરોઢથી જ પૂજા-અર્ચન કરી શ્રીજીના મંગળા, શૃંગાર અને રાજભોગના ઔલોકિક દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. મહિલાઓ ફૂલોના શૃંગાર સજાવવામાં ભક્તિભાવથી સેવા આપી રહી છે. રાત્રિના સમયે કલાત્મક ફૂલોના હિંડોળા મહોત્સવની ઉજવણી સાથે કીર્તન-ભજનની રમઝટ જામે છે.